Sunday, 14 July 2019

પુસ્તક સમીક્ષા


પુસ્તક સમીક્ષા 

 ' સમયને સથવારે '


પુસ્તક પરિચય:-

                            પુસ્તક પરિચય એટલે પુસ્તકના બાહ્ય લક્ષણો અને આંતરિક લક્ષણોનું એક સચોટ વર્ણન.

બાહ્ય સમીક્ષા

  1. મુખપૃષ્ઠ :- 

                  ' સમયને સથવારે ' પુસ્તકનું  મુખપૃષ્ઠ  વિષયવસ્તુને અનુરૂપ બનાવવામાં આવ્યું છે. મુખપૃષ્ઠ પર લેખકનું નામ આપવામાં આવ્યું છે. તથા સુવાળા દરિયાનુંં સરસ મજાનુંં ચિત્ર આપ્યું છે. આ પુસ્તક ' સાયલન્સ પ્લીઝ' નો બીજો ભાગ છે તેવું પણ લખ્યું છે.
                  ' સમયને સથવારે ' પુસ્તકનું  મુખપૃષ્ઠ આકર્ષક બનાવવામાં આવ્યું છે.

  2. લેખકનું નામ :-  

                  આ પુસ્તકના લેખકનું નામ ડોક્ટર .આઈ. કે. વીજળીવાળા  છે.

 3.પુસ્તકની અનુક્રમણિકા :- 

                     ' સમયને સથવારે ' પુસ્તકમાં અનુક્રમણિકા આપેલ છે. તેમાં કુલ 16 વિભાગો આપેલા છે. આ દરેક વિભાગો એકબીજા સુસંગતતા ધરાવતા નથી. લેખક દ્વારા આપવામાંં આવેલા શીર્ષકો યોગ્ય છે.

 4. અંતપૃષ્ઠ :- 

                   ' સમયને સથવારે ' પુસ્તકમાં અંતપૃષ્ઠ પર લેખકનું નામ આપેલ છે. સત્ય ઘટનાઓ જે લેખકની જિંદગીમાં બનેલા અનુભવ લખેલા છે. લેખકે અંતપૃષ્ઠ પર  " સાક્ષી સમય "  ની  વાત કરી છે.


                                                                  આંતરિક સમીક્ષા

  1. શીર્ષક :- 

                    'સમયને સથવારે ' અર્થપૂર્ણ અને પ્રેરણા આપનારું છે. લેખક દ્વારા આપવામાં આવેલ શીર્ષક યોગ્ય અને સાર્થક છે કારણકે તેમાં આપેલા બધા જ વિભાગોને અનુરૂપ છે.આ પુસ્તક સત્યઘટના પર આધારિત છે. આ પુસ્તકમાં લેખક પોતાના અનુભવની વાત કરી છે.

   2. પુસ્તક લખવા પાછળનો હેતુ :-           

                    ' સમયને સથવારે ' પુસ્તક લખવા પાછળનો હેતુ એ છે કે; દરેક વ્યક્તિ સફળતા થી લક્ષ્ય પ્રાપ્ત કરી પોતાનું જીવન સફળ બનાવે એવો છે આ પુસ્તક વાંચીને વિદ્યાર્થીઓને આગળ વધવા માટેની પ્રેરણા મળે, માબાપ પોતાના બાળકો આગળ વધવા માટેનું મનોબળ આપે અને જે વ્યક્તિ દુઃખી છે તેને સાંત્વના મળી રહે એવો છે.

   3. પુસ્તકની વિશેષતા :-             

                   ' સમયને સથવારે '  પુસ્તકમાં બધા લોકોને જીવનમાં આગળ વધવાની અને સમય સાથે ચાલવાની વાત કરી છે. આ પુસ્તકની વિશેષ બાબત એ છે કે; દરેક વિભાગને એક પછી એક ક્રમમાં રજુ કરેલ છે કારણકે લેખક કે આ પુસ્તકમાં પોતાનાં અનુભવની સત્ય ઘટનાઓ આપણી સમક્ષ રજૂ કરી છે. જેથી વાચકો સરળતાથી વાંચીને સમજી શકે.આ પુસ્તકમાં શરૂઆતમાં જ લેખકે પોતાની સાથે બનેલી ઘટનાઓ કે પ્રસંગો આપણી સમક્ષ રજુ કરેલ છે અને દરેક વિભાગને અંતે એ વિભાગનો એક-બે લીટી માં સાર લખવામાં આવ્યો છે. આ પુસ્તકમાં ખૂબ જ સરસ રીતે પ્રસ્તાવના પણ રજૂ થઈ છે.

   3. લેખકનો દ્રષ્ટિકોણ :-                               

                ' સમયને સથવારે ' પુસ્તકમાં લેખકનો   દ્રષ્ટિકોણ એવો છેે કે; દરેક વ્યકિત આ  પુસ્તક વાંચે ત્યારે  તેમાંથી  પ્રેરણા  મેળવે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધવાની પ્રેરણા મેેળવે અને પોતાનું નાનું નાનું કાર્ય સમયસર કરે. વ્યક્તિ સમયને અનુસરીને ચાલે. લેખક કહે છે કે ; બધા સમય સાથે ચાલો .

  4. પુસ્તકની લેખનશૈલી :-

              ' સમયને સથવારે '  પુસ્તકની લેખનશૈલી સરળ છે. દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે તેવી છે. વાચકને રસ પડે તેવી છે. સરળ શબ્દોનો ઉપયોગ કરીને આ પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં અક્ષરોનું કદ મધ્યમ અને યોગ્ય છે.  આ પુસ્તક દરેક ઉંમરના વ્યક્તિ થી  વાંચી  શકાય તેવું છે.

  5. પુસ્તકમાં ગમતી બાબતો :-

               ' સમયને સથવારે ' પુસ્તકમાં ગમતી બાબતો ઘણી બધી છે. તેમાંથી મને  ' પ્રેમનો પારસમણિ ! '  પ્રસંગ ખૂબ જ ગમે છે. આ પ્રસંગમાં આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ એની વાત કરી છે.

  6. પુસ્તકમાં કંઈક બદલવા માંગતા હોય તો શું બદલશો ?

           ' સમયને સથવારે ' પુસ્તકમાં  જો દરેક વિભાગમાં વાર્તાને અનુુરુપ ચિત્ર આપ્યા હતા. વાચકને સરળતાથી સમજ પડી જાત અને લાંબા સમય સુધી યાદ રહી જાત.જેથી વાચકને આ જ્ઞાન પોતાના જીવનમાં વધુુ અને વધુ તેઓના વ્યવહારિક જીવનમાં ઉપયોગી બની  શકે.

  7. કોંને આ પુસ્તક વાંચવા માટે પ્રેરિત કરશો? :-

          ' સમયને  સથવારે ' પુસ્તકમાં દરેક વ્યક્તિને આગળ વધવાની પ્રેરણા આપી છે. માટે આ પુસ્તક હું દરેક વર્ગનાં લોકો એટલે કે; વિદ્યાર્થીઓ , બાળકો, યુવાનો અને વૃદ્ધ વ્યક્તિને વાંચવા માટે પ્રેરિત કરીશ.